મહામારી / 24 કલાકમાં 935 નવા કોરોનાના કેસ સાથે 1014 દર્દીઓ થયાં સાજા, આ 3 જિલ્લામાં સ્થિતિ હજી ચિંતાજનક

Gujarat health department coronavirus update 31 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 80 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 21 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 935 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 13,106 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 60 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ