ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે, ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યમાં સતત 4 દિવસથી 2200થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
સતત ચોથા દિવસે ગુજરાતમાં 2200થી વધુ કેસ
ગુજરાતમાં કોરોનાના આજે 2220 નવા કેસ સાથે 1988 દર્દીઓ થયાં સાજા
24 કલાક દરમિયાન 10 લોકોના થયાં મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2,220 કેસ નોંધાયા છે અને 1,988 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,88,565 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 10 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4510 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે.
છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 તો આજે 2,220 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 606 કેસ અને ગ્રામ્યમાં 7 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 563 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 209 કેસ, જ્યારે ગ્રામ્યમાં 48 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 164 કેસ અને ગ્રામ્યમાં 63 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
કેટલા લોકોને અપાઇ વેક્સિન ?
ગુજરાતમાં અત્યાર સુધીમાં 47,45,494 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6,43,855 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 53,89,349 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.