ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં છે. ત્યારે રાજ્યમાં ફરી વખત 1100થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં બીજી વખત કોરોનાના કેસ 1100ને પાર
અમદાવાદ બાદ સુરતની સ્થિતિ વધુ કથળી
કુલ દર્દીઓનો આંકડો 60 હજારને પાર
રાજ્યમાં આજે કોરોનાના 1159 કેસ નોંધાતા કુલ આંકડો 60,285 પર પહોંચ્યો છે. આજે 879 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 44,074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 70 ટકાથી વધુ છે. મહત્વનું છે કે, ગઇકાલે (29 જુલાઈ)1144 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે સતત બીજા દિવસે 1100ને પાર 1159 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાનો આંકડો 60 હજારને પાર થઇ ચૂક્યો છે જે ચિંતાજનક આંકડો છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 16 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં 35,134 દર્દીઓના મોત થયા છે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓનો ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,418 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1595 દર્દીઓના મોત થયા છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 271 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 54 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 12,785 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 220 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 8,839 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 403 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3543 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 157 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 143 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,341 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 119 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,252 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1595 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3494 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
30/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
157
સુરત
271
વડોદરા
96
ગાંધીનગર
37
ભાવનગર
46
બનાસકાંઠા
28
આણંદ
11
રાજકોટ
86
અરવલ્લી
3
મહેસાણા
18
પંચમહાલ
23
બોટાદ
13
મહીસાગર
16
ખેડા
15
પાટણ
22
જામનગર
40
ભરૂચ
35
સાબરકાંઠા
15
ગીર સોમનાથ
8
દાહોદ
31
છોટા ઉદેપુર
13
કચ્છ
12
નર્મદા
16
દેવભૂમિ દ્વારકા
1
વલસાડ
22
નવસારી
15
જૂનાગઢ
34
પોરબંદર
2
સુરેન્દ્રનગર
34
મોરબી
12
તાપી
1
ડાંગ
2
અમરેલી
24
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)