ભારતમાં કોરોના વાયરસના કેસ 64 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,343 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે.
24 કલાકમાં 1,343 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા
કુલ આંકડો 1,41,398 પર પહોંચ્યો
આજે 1,034 દર્દીઓ સાજા થયા અને 12 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57,065 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,343 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,41,398 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.66 ટકા છે. આજે 1,034 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,21,119 પર પહોંચ્યો છે. આજે 12 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,490 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,789 છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 45,88,563 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
5 જિલ્લામાં કુલ 12 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 12 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 2 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 277, અમદાવાદમાં 194, રાજકોટમાં 163, વડોદરામાં 129 અને જામનગરમાં 90 કોરોનાના કેસ નોંધાયા છે.
7 જિલ્લામાં 500થી વધુ એક્ટિવ કેસ(તા.2-10-2020)
સૌથી વધુ એક્ટિવ કેસ અમદાવાદમાં 4059 છે. જ્યારે 500થી વધુ ગાંધીનગરમાં 630, કચ્છમાં 628, મહેસાણામાં 699, રાજકોટમાં 1346, સુરતમાં 2618, વડોદરામાં 1953માં એક્ટિવ કેસ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની જિલ્લાવાર વિગત