3 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 715 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.
24 કલાકમાં 715 નવા કેસ સાથે 938 દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં માત્ર 9250 એક્ટિવ કેસ
આજે 4 દર્દીના મોત
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 715 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 247,227 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 94.51 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 10 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 938 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,33,660 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 9250 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 4 દર્દીના મોત
આજે કોવિડ-19થી 4 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4318 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને બોટાદ 1, રાજકોટ 1 આમ 24 કલાક દરમિયાન કુલ 4 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
મહાનગરોમાં કેસ ઘટ્યા! અમદાવાદ શહેરમાં 147 પોઝિટિવ
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 146 -ગ્રામ્યમાં 5 કેસ, સુરત શહેરમાં 104-ગ્રામ્યમાં 23 કેસ, વડોદરા શહેરમાં 104-ગ્રામ્યમાં 30 કેસ, રાજકોટ શહેરમાં 51-ગ્રામ્યમાં 25 કેસ, કચ્છમાં 32 કેસ નોંધાયા છે.
ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા જિલ્લાવાર આંકડા