ગુજરાતમાં તહેવારો, પ્રસંગોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. જોકે રિકવરી રેટ 91 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1540 નવા કેસ સામે આવ્યા છે.
આજે 1540 નવા કેસ સામે 1427 દર્દીઓ થયાં સાજા
ગુજરાતમાં હાલ 96 લોકો વેન્ટિલેટર પર
કુલ મૃત્યુઆંક 4031પર પહોંચ્યો
કોરોના વાયરસના 1512 નવા કેસની સામે આજે 1427 દર્દીઓ સાજા થયા છે. તો 13 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,95,365 પર પહોંચ્યો, તો કુલ મૃત્યુઆંક 4031પર પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે, આજરોજ નવા કેસ નોંધાતા ચિંતા થોડી હળવી થઇ છે. તો રાજ્યમાં હાલ 96 લોકો વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં હાલમાં 14913 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14913 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,735 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 80,33,388 પર પહોંચ્યો છે.
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં થયેલા મોતના આંકડા
અમદાવાદમાં 10 દિવસમાં 117 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 4031 મોતમાંથી એકલા અમદાવાદમાં 2087 દર્દીઓના મોત થયા છે.
તારીખ
મોત
2020-11-23
13
2020-11-24
12
2020-11-25
9
2020-11-26
12
2020-11-27
10
2020-11-28
10
2020-11-29
11
2020-11-30
13
2020-12-1
10
2020-12-2
8
2020-12-3
9
અમદાવાદ જિલ્લામાં 336 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 314, અમદાવાદ જિલ્લામાં 22, સુરત શહેરમાં 207, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 142, વડોદરા જિલ્લામાં 42, રાજકોટ શહેરમાં 93, રાજકોટ જિલ્લામાં 48, ગાંધીનગર શહેરમાં 25, ગાંધીનગર જિલ્લામાં 47 તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 69 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.