ભારતમાં કોરોનાના કેસ આજે 18 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 64 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1009 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત્
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1009 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાનો આંકડો 64,684 પર પહોંચ્યો
રાજ્યમાં આજે કોરોનાના 1009 કેસ નોંધાતા કુલ આંકડો 64,684 પર પહોંચ્યો છે. આજે 974 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 47,561 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73 ટકા થયો છે. તો આ સાથે જ એક ચિંતાજનક બાબત એ પણ છે કે, રાજ્યમાં સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે.
આજે સૌથી વધુ દર્દી બનાસકાંઠામાં સાજા થયા
24 કલાકમાં સુરત-અમદાવાદ કરતા પણ વધુ દર્દી બનાસકાંઠા જિલ્લામાં સાજા થયા છે. બનાસકાંઠામાં 147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે અમદાવાદમાં 109 અને સુરતમાં 195 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,509 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 18 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 38 હજારથી વધુ દર્દીઓના મોત થયા છે.
હાલ સુરતમાં કોરોનાની શું છે સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 258 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 198 અને સુરત જિલ્લામાં 60 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 13,826 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 195 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 9,617 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 449 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3760 એક્ટિવ કેસ છે.
હાલ અમદાવાદમાં કોરોનાની શું છે સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 139 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,969 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 109 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,697 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 6 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1611 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3661 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
03/08/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
151
સુરત
258
વડોદરા
98
ગાંધીનગર
25
ભાવનગર
47
બનાસકાંઠા
10
આણંદ
11
રાજકોટ
85
અરવલ્લી
0
મહેસાણા
26
પંચમહાલ
22
બોટાદ
16
મહીસાગર
7
ખેડા
20
પાટણ
4
જામનગર
34
ભરૂચ
18
સાબરકાંઠા
15
ગીર સોમનાથ
6
દાહોદ
29
છોટા ઉદેપુર
0
કચ્છ
17
નર્મદા
8
દેવભૂમિ દ્વારકા
5
વલસાડ
3
નવસારી
12
જૂનાગઢ
21
પોરબંદર
4
સુરેન્દ્રનગર
13
મોરબી
14
તાપી
2
ડાંગ
3
અમરેલી
19
અન્ય રાજ્ય
6
ગુજરાતના તમામ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)