ભારતમાં કોરોના વાયરસના કેસ 61 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 96 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ હજુ કાબૂમાં નથી આવ્યું જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં કોરોના વધતો નજરે આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં કડક નિર્ણયો પણ લેવાયા છે.
છેલ્લા 24 કલાકમાં 1381 નવા કોરોનાના કેસ
કુલ આંકડો 136004 પર પહોંચ્યો
આજે 1383 દર્દીઓ સાજા થયા, 11 દર્દીઓના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62,338 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,381 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,36,004 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.19 ટકા છે. આજે દર્દીઓ 1,383 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,15,859 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,442 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,703 છે.
મહાનગરો સિવાય આ જિલ્લામાં 30થી વધુ દર્દીઓ થયા સાજા
આજે બનાસકાંઠામાં 63, કચ્છમાં 35, અમેરીલમાં 39, ભરૂચમાં 32, મહેસાણામાં 39 અને મોરબીમાં 30 દર્દીઓ સાજા થયા છે. જોકે મહાનગર સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશન 219, સુરત જિલ્લામાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 223, વડોદરા કોર્પોરેશનમાં 86 અને જામગનર કોર્પોરેશનમાં 45 દર્દી સાજા થયા છે.
આજે 11 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 2 દર્દીના મોત થયા છે.
આજે કોરોનાના 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 62,338 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત