રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના કેસનો આંકડો આજે 2000ને પાર પહોંચતા ચિંતા વધી છે.
રાજ્યમાં કોરોના સંકટ બન્યું ઘેરું
આજે 2252 નવા કેસ સાથે 1731 દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત કોરોનાને કારણે થયાં
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2252 કેસ નોંધાયા છે અને 1731 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,86,577 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 8 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4500 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.રોજ આ આંકડો વધી રહ્યો છે.તેના કારણે તંત્રની ચિંતામાં વધારો થયો છે.
છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. 27 માર્ચના રોજ રાજ્યમાં 2276 કેસ, 28 માર્ચે 2270 કેસ અને આજે 29 માર્ચે 2252 નવા કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 602 કેસ અને ગ્રામ્યમાં 10 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 603 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 74 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 201 કેસ, જ્યારે ગ્રામ્યમાં 35 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 198 કેસ અને ગ્રામ્યમાં 44 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
સુરતમાં કલમ 144 લાગુ
સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
સુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
સુરતીઓ દ્વારા નિયમનું કરાયું પાલન
મહત્વનું છે કે, કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ તંત્રને સાથ આપ્યો હતો. તંત્ર દ્વારા કરાયેલી સૂચનાનું સુરતીઓ દ્વારા પાલન કરાયું હતું. સુરતમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સુરત મનપા કમિશનરે લોકોને ધુળેટી ન રમવા અપીલ કરી હતી. સુરતમાં રોડ રસ્તા અને શેરીઓ સુમસામ જોવા મળી હતી.