ભારતમાં કોરોના વાયરસના કેસ 60 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 95 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ 1400ને પાર નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં કોરોના વધતો નજરે આવી રહ્યો છે. ગઇકાલેની જેમ આજે પણ સુરત કોર્પોરેશન કરતા અમદાવાદ કોર્પોરેશનમાં વધુ કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,404 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 1,34,623 પર પહોંચ્યો
આજે 1,336 દર્દીઓ સાજા થયા અને 12 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61,316 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,404 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો1,34,623 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.03 ટકા છે. આજે દર્દીઓ 1,336 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,14,476 પર પહોંચ્યો છે. આજે 12 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,431 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,716 છે.
સતત બીજા દિવસે સુરત કોર્પોરેશન કરતા અમદાવાદ કોર્પોરેશનમાં વધુ કેસ નોંધાયા
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 180 જ્યારે સુરત કોર્પોરેસનમાં 176 નવા કોરોનાના કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 178 અને સુરત કોર્પોરેશનમાં 160 કોરોના કેસ નોંધાયા હતા.
શું છે અમદાવાદની સ્થિતિ?
કોરોનાને લઇને અમદાવાદ માટે ચિંતા વધી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નજરે પડતા AMC દ્વારા 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાના આદેશ કર્યા છે. તો બીજી તરફ અમદાવાદની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થતી જણાઇ રહી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 180 અને જિલ્લામાં 30 કેસ મળીને કુલ અમદાવાદમાં 210 કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે 3 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 1807 પર પહોંચ્યો છે. તો અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 36,456 કેસ નોંધાઇ ચૂક્યા છે જેમાંથી 30,345 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.
આજે 12 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 12 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 5, રાજકોટમાં 2, વડોદરામાં 1 અને ભરૂચમાં 1 દર્દીનું મોત થયું છે.
આજે કોરોનાના 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 61,316 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
28/09/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
210
સુરત
302
વડોદરા
141
ગાંધીનગર
40
ભાવનગર
30
બનાસકાંઠા
35
આણંદ
13
રાજકોટ
148
અરવલ્લી
5
મહેસાણા
43
પંચમહાલ
22
બોટાદ
7
મહીસાગર
27
ખેડા
11
પાટણ
26
જામનગર
95
ભરૂચ
29
સાબરકાંઠા
12
ગીર સોમનાથ
13
દાહોદ
13
છોટા ઉદેપુર
0
કચ્છ
37
નર્મદા
10
દેવભૂમિ દ્વારકા
6
વલસાડ
2
નવસારી
9
જૂનાગઢ
33
પોરબંદર
3
સુરેન્દ્રનગર
29
મોરબી
18
તાપી
8
ડાંગ
0
અમરેલી
27
અમદાવાદમાં 27 વિસ્તારોમાં AMCના આદેશ
કોરોનાએ ફરી માથુ ઉંચકતા અમદાવાદના 27 વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા બાદ દુકાનોને બંધ રાખવાનો AMCએ આદેશ કર્યો છે. જોકે દવાની દુકાનો જ ખુલ્લી રહેશે. આ આદેશનું ભંગ કરનારને મોટો દંડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
SG હાઇવે
સિંધુભવન રોડ
પ્રહલાદનગર રોડ
YMCAથી કાકે દા ઢાબા
પ્રહલાદનગરથી પેલેડિયમ સર્કલ
બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
ઈસ્કોન ચારરસ્તાથી શપથ-4.5 સર્વિસ રોડ
બોપલ આંબલી રોડ
ઈસ્કોન આંબલી રોડથી હેબતપુર વચ્ચેનો વિસ્તાર
સાયન્સ સીટી રોડ
શીલજ સર્કલથી સાયન્સસીટી સર્કલ સુધી 200 ફુટનો રીંગ રોડ
આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફુટનો રીંગરોડ