રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 29 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
24 કલાકમાં 335 નવા કેસ સાથે 463 દર્દી થયાં સાજા
રિકવરી રેટ વધીને 96.94 ટકા થયો
ગુજરાતમાં હવે 3589 એક્ટિવ કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.79 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 77 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. ગત 24 કલાકમાં 56,935 વ્યક્તિને વેક્સિન આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 2,12,737 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
રાજ્યમાં 4 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 463 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,52,927 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 3589 એક્ટિવ કેસ છે. જેમાંથી 42 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 1 દર્દીનું મોત
આજે કોવિડ-19થી અમદાવાદમાં 1 દર્દીનું મોત થતા રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4385 થઇ ગઇ છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 74 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 41, સુરત ગ્રામ્યમાં વધુ 08 કેસ, વડોદરા શહેરમાં 74, ગ્રામ્યમાં વધુ 15 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 35 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 4 કેસ, આણંદ 6 કેસ નોઁધાયા છે. તો, બનાસકાંઠા, જામનગર, નવસારી, તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.