ભારતમાં કોરોના વાયરસના કેસ 60 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 94 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ 1400ને પાર નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રાજ્યમાં રિકવરી રેટ સારો છે. આજે સુરત કોર્પોરેશન કરતા અમદાવાદ કોર્પોરેશનમાં વધુ કેસ નોંધાયા. તો 11 જિલ્લાઓમાં એક પણ દર્દી સાજો નથી થયો.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,411 નવા કેસ
કુલ દર્દીઓનો આંકડો 1,33,219 પર પહોંચ્યો
આજે 10 દર્દીઓના થયાં મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60,357 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,411 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,33,219 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.93 ટકા છે. આજે દર્દીઓ 1,231 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,13,140 પર પહોંચ્યો છે. આજે 10 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,419 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,660 છે.
સુરત કોર્પોરેશન કરતા અમદાવાદ કોર્પોરેશનમાં વધુ કેસ નોંધાયા
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 160, રાજકોટ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 81, ગાંધીનગર કોર્પોરેશન 19, ભાવનગર કોર્પોરેશન 16 અને જૂનાગઢ કોર્પોરેશન 15 કોરોના કેસ નોંધાયા છે.
આ 11 જિલ્લાઓમાં એક પણ દર્દી સાજો નથી થયો
આજે ડાંગ, પોરબંદર, છોટા ઉદેપુર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, વલસાડ, નવસારી, મહીસાગર, દાહોદ, આણંદ અને સાબરકાંઠામાં એક પણ દર્દી સાજો નથી થયો.
આજે 10 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 10 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, રાજકોટમાં 1, વડોદરામાં 2, ભાવનગરમાં 1 અને જૂનાગઢમાં 1 દર્દીનું મોત થયું છે.
આજે કોરોનાના 60,357 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 60,357 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 42,32,408 ટેસ્ટ કરવામાં આવ્યા.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
27/09/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
197
સુરત
269
વડોદરા
133
ગાંધીનગર
45
ભાવનગર
47
બનાસકાંઠા
36
આણંદ
16
રાજકોટ
171
અરવલ્લી
6
મહેસાણા
52
પંચમહાલ
18
બોટાદ
2
મહીસાગર
11
ખેડા
16
પાટણ
27
જામનગર
99
ભરૂચ
21
સાબરકાંઠા
19
ગીર સોમનાથ
9
દાહોદ
12
છોટા ઉદેપુર
5
કચ્છ
34
નર્મદા
6
દેવભૂમિ દ્વારકા
7
વલસાડ
8
નવસારી
11
જૂનાગઢ
29
પોરબંદર
3
સુરેન્દ્રનગર
34
મોરબી
24
તાપી
12
ડાંગ
2
અમરેલી
30
અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા
જોકે અમદાવાદમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર ઘટ્યા છે. શહેરમાં હાલમાં 221 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર છે. 22 વિસ્તારને કન્ટેઇનમેન્ટમાંથી મુક્ત જાહેર કરાયા છે. અમદાવાદમાં ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર ફરીથી સતર્ક બન્યું છે. અમદાવાદમાં ફરી ટેસ્ટિંગમાં વધારો થયો છે. અગ્રેસીવ ટેસ્ટિંગની રણનીતિ બાદ કેસમાં વધારો થયો છે.
હાઇકોર્ટના આદેશ બાદ AMCની કડક કાર્યવાહી
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકવા AMCએ કડક કાર્યવાહી કરી છે. AMC દ્વારા નવરંગપુરા-વસ્ત્રાપુર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. HL કોલેજ પાસેનું ચાય સુટ્ટા બાર અને IIM રોડ પર ડેનિસ કોફીબાર સીલ કરવામાં આવ્યું છે. સામાજિક અંતર ન જળવાતા કાર્યવાહી કરવામાં આવી છે. 2 દિવસ પહેલા SG હાઇવે પર કાફે સીલ કર્યા હતા. હાઇકોર્ટના આદેશ બાદ AMCએ કડક કાર્યવાહી હાથ ધરી છે.