ચિંતા / 24 કલાકમાં નવા 992ના કેસ સાથે 5 લોકોના મોત, અમદાવાદમાં અત્યાર સુધીમાં સાજા થયાં આટલા દર્દી

Gujarat health department coronavirus update 27 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 79 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 19 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 992 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 13,487 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 58 લાખને પાર થઇ ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ