રાજ્યમાં દિવસેને દિવસ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના કેસનો આંકડો 2200ને પાર પહોંચતા ચિંતા વધી છે.
ગુજરાતમાં કોરોના ફરી બેફામ
24 કલાકમાં 2276 નવા કેસ
મોતના આંકડા ચિંતા વધારનારા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2276 કેસ નોંધાયા છે અને 1422 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,83,241 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો 5 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4484 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. તો સૌથી ચિંતાજનક બાબત એ પણ છે કે, રાજ્યમાં હાલ 157 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
છેલ્લા 5 દિવસથી કેસમાં ચિંતાજનક રીતે થઇ રહ્યો છે વધારો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસથી ચિંતાજનક વધારો નોંધાયો છે. મંગળવારે 1730 કેસ, બુધવારે 1790 કેસ અને ગુરૂવારે 1961 કેસ અને શનિવારે 2190 કેસ અને આજે 2276 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે તે સ્પષ્ટ છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 601 કેસ અને ગ્રામ્યમાં 11 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 607 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 153 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 269 કેસ, જ્યારે ગ્રામ્યમાં 67 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 145 કેસ અને ગ્રામ્યમાં 27 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...
જાણો આજે કેટલા લોકોનું થયું રસીકરણ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44,29,556 લોકોને પ્રથમ ડોઝ અને 6,29,707 લોકોને બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. આમ કુલ 50,58,625 રસીકરણના ડોઝ અપાયા છે. ગુજરાતમાં તેજ ગતિથી વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે.