ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1197 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1197 કોરોનાના કેસ
પ્રથમ વખત 77 હજારથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા
કુલ કેસનો આંકડો 90 હજારને પાર પહોંચ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1197 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 90,139 પર પહોંચ્યો છે.
ટેસ્ટિંગમાં સતત વધારો
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ કોરોના વાયરસના 77,949 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 18,69,724 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 72,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1197 કેસ જ્યારે 1047 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 72,308 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.22 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2947 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 76 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ બાદ જામનગરમાં વધુ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ બાદ જામનગરમાં વધુ કેસ નોંધાયા છે. આજે જામનગરમાં 87 કેસ નોંધાયા છે. જો કે, એક વાત એવી પણ ઉડીને આંખે વળગે તેમ છે કે, જામનગરમાં આજે 108 જેટલા દર્દીઓએ આજે કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતના વિવિધ જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત