ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 919 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 13,936 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 57 લાખને પાર થઇ ચૂક્યો છે.
ગત 24 કલાકમાં નવા 919 કોરોનાના કેસ
કુલ આંકડો 1.67 લાખને પાર પહોંચ્યો
963 દર્દીઓ થયાં સાજા
ઉલ્લેખનીય છે કે, આજે દશેરા છે ત્યારે દરરોજ આવતા કેસની સરખામણીએ આજે ફરી એકવાર કોરોનાના કેસમાં ઘટાડા નોંધાયો છે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 919 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,67,173 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.46 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ આશરે 815 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 51,370 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 57,42,742 પર પહોંચ્યો છે.
આજે 963 દર્દીઓ થયાં સાજા
આજે 963 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,49,548 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,689 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 13,936 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ 4 જિલ્લામાં કુલ 7 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 7 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, પાટણમાં 1 તથા વડોદરામાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 227, અમદાવાદમાં 174, રાજકોટમાં 97, વડોદરામાં 115 અને જામનગરમાં 43 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત