રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 24 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
રાજ્યમાં 410 નવા કેસ સાથે 704 દર્દી થયાં સાજા
રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ
રિકવરી રેટ વધીને 96.51 થયો
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 410 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 259097 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 96.51 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 89 કેસ નોંધાયા છે. જોકે આજે કોરોના વાયરસથી અમદાવાદમાં એકપણ દર્દીનું મોત નથી થયું. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને આગામી 31 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે.
રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 704 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,50,056 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4665 એક્ટિવ કેસ છે. જેમાંથી 48 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 1 દર્દીનું મોત
આજે કોવિડ-19થી મહિસાગરમાં 1 દર્દીનું મોત થતા રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4376 થઇ ગઇ છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 89 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 69, સુરત ગ્રામ્યમાં વધુ 16 કેસ, વડોદરા શહેરમાં 65, ગ્રામ્યમાં વધુ 21 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 45 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 14 કેસ, કચ્છમાં 10 કેસ નોઁધાયા છે. તો, બનાસકાંઠા, પાટણ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.