દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો આજે બીજા દિવસે પણ કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ સાથે ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1495 કેસ નોંધાયા
1167 દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં હાલમાં 13600 એક્ટિવ કેસ
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1167 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,79,953 પર પહોંચ્યો છે. આજે 13 દર્દીઓના કોરોનાને કારણે મોત થતા કુલ મૃત્યુઆંક 3859 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 13600 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13600 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.16 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 63,739 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 72,35,184 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં 341 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 318, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 213, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 39 , રાજકોટ શહેરમાં 91, રાજકોટ જિલ્લામાં 54, મહેસાણામાં 60, ગાંધીનગર શહેરમાં 57, ગાંધીનગર જિલ્લામાં 37 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લામાં નોઁધાયેલા કેસની વિગત