ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો સુરત માથે કોરોના સંકટ છે તો બીજી તરફ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રિકવરી રેટ સારો છે. રોજના 200થી વધુ દર્દીઓ સાજા થઇ રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 61,897 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1430 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.23 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.
4 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1430 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,24,767 પર પહોંચ્યો છે. તો આજે 1,316 દર્દીઓ સાજા થયા અને 17 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,339 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,337 કેસ એક્ટિવ છે. જેમાં 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આજે 4 જિલ્લામાં 100થી વધુ દર્દીઓ સાજા થયા
આજે 1,316દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,05,091 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.23 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 294, અમદાવાદમાં 120, જામનગરમાં 133, રાજકોટમાં 166 દર્દીઓ સાજા થયા છે.
સુરતમાં છેલ્લા 10 દિવસમાં રોજના 200થી વધુ દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 61,897 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 38,62,366 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 290, અમદાવાદમાં 177, રાજકોટમાં 143, વડોદરામાં 137, જામનગરમાં 123, મહેસાણા 60 કેસ, ભાવનગરમાં 38 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.