ભારતમાં કોરોના વાયરસના કેસ 76 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 16 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,137 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,215 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 55 લાખને પાર થઇ ચૂક્યો છે.
1,137 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા
કુલ આંકડો 1,62,985 પર પહોંચ્યો
આજે 1,180 દર્દીઓ સાજા થયા અને 9 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,137 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,62,985 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 89.03 ટકા થયો છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિગની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. રોજના 50 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વસ્તીને ધ્યાને લેતા રોજ 815.17 ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,986 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 55,32,522 પર પહોંચ્યો છે.
આજે 1,180 દર્દીઓ થયાં સાજા
આજે 1,180 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,45,107 પર પહોંચ્યો છે. આજે 9 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,663 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,215 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
આ 6 જિલ્લામાં કુલ 9 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 9 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, વડોદરામાં 1, ગીર સોમનાથમાં 1, ભરૂચમાં 1 અને બનાસકાંઠામાં પણ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 239, અમદાવાદમાં 177, રાજકોટમાં 104, વડોદરામાં 118 અને જામનગરમાં 65 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત