ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1407 નવા કેસ
રિકવરી રેટ 84.14 ટકા થયો
4 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ
આજે રાજ્યમાં 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1407 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.14 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.
4 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1407 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,23,337 પર પહોંચ્યો છે. તો આજે 1,204 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,322 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,240 કેસ એક્ટિવ છે. જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આજે 4 જિલ્લામાં 100થી વધુ દર્દીઓ સાજા થયા
આજે 1,204 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,03,775 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.14 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 286, અમદાવાદમાં 145, જામનગરમાં 122, રાજકોટમાં 173 દર્દીઓ સાજા થયા છે.
આજે કોરોનાના 60,687 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 60,687 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 283, અમદાવાદમાં 183, રાજકોટમાં 164, વડોદરામાં 140, જામનગરમાં 129, મહેસાણા 53 કેસ, ભાવનગરમાં 50 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.