ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ વધી રહ્યા છે. આજે 1145 નવા કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1175 નવા કેસ
1123 સાજા થયા
કુલ મૃત્યુઆંક 2855 પર પહોંચ્યો
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં સતત વધતાં જતા આંકડાએ કેટલાક શહેરોમાં ચિંતા વધારી છે. ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1175 કોરોનાના કેસ નોંધાયા છે.
1123 સાજા થયા
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 1175 કોરોનાના કેસ નોંધાયા જ્યારે 1123 સાજા થયા અને 16ના મોત. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 83262, કુલ સાજા 65953 અને કુલ મૃતાંક 2855 પર પહોંચ્યો. આજે 68581 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.
16 લોકોના કોરોનાથી મોત થયા
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14454 છે જેમાંથી 86 લોકો વેન્ટિલેટર પર છે જ્યારે 14368 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદમાં 4, સુરતમાં 7 અને રાજકોટમાં 2 તેમજ ગાંધીનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 એમ 16 લોકોના કોરોનાથી મોત થયા છે.