ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1305 કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 1305 કોરોનાના કેસ નોંધાયા
કુલ કેસનો આંકડો 99,050 પર પહોંચ્યો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1305 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 99,050 પર પહોંચ્યો છે.
ટેસ્ટિંગમાં સતત વધારો
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં દિવસેને દિવસે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક માસથી રેપિડ એન્ટીજન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે ટેસ્ટિંગનો કુલ આંકડો 24,84,429 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 80,054 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1305 કેસ જ્યારે 1141 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 80,054 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 80.82 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરા અને હવે રાજકોટમાં રણ કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે. રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 3048 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજ્યમાં હાલ 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં હાલ 15996 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1 લાખની નજીક પહોંચ્યો છે પરંતુ રાજ્યમાં હાલ 15948 કેસ જ એક્ટિવ છે. જેનો અર્થ છે કે, રાજ્યમાં ઘણા બધા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રિકવરી રેટ પર 80 ટકાને પાર પહોંચી ગયો છે. જે ખરેખર સારી વાત છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત