ભારતમાં કોરોના વાયરસના કેસ 64 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો આંકડો 1 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,310 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે.
24 કલાકમાં કોરોના વાયરસના 1,310 નવા કોરોના વાયરસના કેસ
કુલ આંકડો 1,40,055 પર પહોંચ્યો
આજે 1,250 દર્દીઓ સાજા થયા અને 15 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 56,732 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,310 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,40,055 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.55 ટકા છે. આજે 1,250 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,19,815 પર પહોંચ્યો છે. આજે 15 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,478 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,762 છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
9 જિલ્લામાં કુલ 15 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 15 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, રાજકોટમાં 3, વડોદરામાં 2, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, ગાંધીનગરમાં 1, જામનગરમાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીના મોત થયા છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 278, અમદાવાદમાં 198, રાજકોટમાં 151, વડોદરામાં 129 અને જામનગરમાં 86 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની જિલ્લાવાર વિગત