ગુજરાતમાં તહેવારો, પ્રસંગોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. જોકે રિકવરી રેટ 91 ટકાને પાર પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1512 નવા કેસ સામે આવ્યા છે.
24 કલાકમાં કોરોનાના 1512 નવા કેસ
1570 દર્દીઓ થયાં સાજા, 14 દર્દીઓના મોત થયા
ગુજરાતમાં રિકવરી રેટ 91.15 ટકા પર પહોંચ્યો
કોરોના વાયરસના 1512 નવા કેસની સામે આજે 1570 દર્દીઓ સાજા થયા છે. તો 14 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,93,938 પર પહોંચ્યો, તો કુલ મૃત્યુઆંક 4018 પર પહોંચ્યો છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા. જો કે, આજરોજ નવા કેસ નોંધાતા ચિંતા થોડી હળવી થઇ છે. તો રાજ્યમાં હાલ 93 લોકો વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં હાલમાં 14813 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14813 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.15 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 69,186 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 79,63,653 પર પહોંચ્યો છે.
આજે 14 દર્દીના મોત, આ જિલ્લાઓમાં સૌથી વધુ દર્દીઓના મોત
આજે અમદાવાદમાં 8, સુરતમાં 3, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 1 અને સાબરકાંઠામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અમદાવાદમાં 2078 દર્દીઓના મોત થયા છે. સુરતમાં 904, રાજકોટમાં 175, વડોદરામાં 222 અને ગાંધીનગરમાં 103 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદ જિલ્લામાં 332 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 302, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 204, સુરત જિલ્લામાં 48, વડોદરા શહેરમાં 135, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 108, રાજકોટ જિલ્લામાં 45, ગાંધીનગર શહેરમાં 24, ગાંધીનગર જિલ્લામાં 38 તો ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 74 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત