ભારતમાં કોરોના વાયરસના કેસ 53 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 85 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં 61,432 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1432 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 84.12 ટકા છે. તો રાજ્યમાં સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.
24 કલાકમાં કોરોનાના 1432 નવા કેસ
કુલ આંકડો 1,21,930 પર પહોંચ્યો
રાજ્યનો રિકવરી રેટ 84.12 ટકા
અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, વડોદરા અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આજના કોરોનાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર છેલ્લા 24 કલાકમાં નવા 1432 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1,21,930 પર પહોંચ્યો છે. તો આજે 1,470 દર્દીઓ સાજા થયા અને 16 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,305 દર્દીઓના મોત થયા છે. જ્યારે 16,054 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં 97 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
આજે 6 જિલ્લામાં 100થી વધુ દર્દીઓ સાજા થયા
આજે 1,470 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,02,571 પર પહોંચ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 84.12 ટકા થયેલ છે. આજે સૌથી વધુ સુરતમાં 257, અમદાવાદમાં 184, જામનગરમાં 117, વડોદરામાં 102, રાજકોટમાં 201 અને બનાસકાંઠામાં 100 દર્દીઓ સાજા થયા છે.
આજે કોરોનાના 61,432 ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 61,432 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 37,39,782 ટેસ્ટ કરવામાં આવ્યા. તો આજે સુરતમાં 281, અમદાવાદમાં 178, રાજકોટમાં 151, વડોદરામાં 138, જામનગરમાં 126, મહેસાણા 69 કેસ, ભાવનગરમાં 42, ગાંધીનગરમાં 44 અને બનાસકાંઠામાં 44 કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા નીચે મુજબ છે.