ભારતમાં કોરોના વાયરસના કેસ 75 લાખ નજીક પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 14 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 996 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,277 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે.
ગુજરાત માટે 3 મહિના બાદ રાહતના સમાચાર
24 કલાકમાં ગુજરાતમાં 996 દર્દીઓ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52,192 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 996 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,60,722 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.85 ટકા થયો છે.
આજે 1,147દર્દીઓ થયાં સાજા
આજે 1,147 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,42,799 પર પહોંચ્યો છે. આજે 8 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,646 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,277 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 54,26,621 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ 3 જિલ્લામાં કુલ 8 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 8 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 2 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 227, અમદાવાદમાં 190, રાજકોટમાં 83, વડોદરામાં 112 અને જામનગરમાં 66 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના કેસની જિલ્લાવાર વિગત