દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1340 કેસ સામે આવ્યા છે.
તહેવારોની મોસમમાં રાજ્યમાં કોરોના બન્યો બેફામ
ગત 24 કલાકમાં 1340 નવા કેસ, 1113 દર્દીઓ થયાં સાજા
અમદાવાદમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુ
દિવાળી બાદ દિવસેને દિવસે રેકોર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1340 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1113 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,76,475 પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3830 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12677 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.45 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 54,907 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 70,33,156 પર પહોંચ્યો છે.
અમદાવાદ શહેરમાં 230 અને જિલ્લામાં 16 નવા કોરોનાના કેસ
આજે અમદાવાદ શહેરમાં 230, અમદાવાદ જિલ્લામાં 16, સુરત શહેરમાં 195, સુરત જિલ્લામાં 44, વડોદરા શહેરમાં 106, વડોદરા જિલ્લામાં 43, રાજકોટ શહેરમાં 85, રાજકોટ જિલ્લામાં 52, મહેસાણામાં 53, બનાસકાંઠામાં 52, ગાંધીનગર શહેરમાં 50, ગાંધીનગર જિલ્લામાં 30 કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત
19/11/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
246
સુરત
239
વડોદરા
149
ગાંધીનગર
80
ભાવનગર
12
બનાસકાંઠા
52
આણંદ
19
રાજકોટ
137
અરવલ્લી
9
મહેસાણા
53
પંચમહાલ
17
બોટાદ
2
મહીસાગર
24
ખેડા
28
પાટણ
33
જામનગર
38
ભરૂચ
17
સાબરકાંઠા
18
ગીર સોમનાથ
8
દાહોદ
28
છોટા ઉદેપુર
5
કચ્છ
15
નર્મદા
11
દેવભૂમિ દ્વારકા
9
વલસાડ
0
નવસારી
1
જૂનાગઢ
30
પોરબંદર
7
સુરેન્દ્રનગર
11
મોરબી
21
તાપી
3
ડાંગ
1
અમરેલી
17
અમદાવાદમાં આવતીકાલથી રાત્રિ કરફ્યુ
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આવતીકાલ(20 નવેમ્બર)થી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, અમદાવાદમાં 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. નવી સુચના ન મળે ત્યા સુધી કરફ્યુ લાગુ રહેશે.
શિયાળામાં કોરોનાથી બચજો
શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.