ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 900થી વધુ કેસ
અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો પહોંચ્યો 47,476
આજે પ્રથમ વખત 1 હજારથી વધુ દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 960 કેસ નોંધાતા કુલ આંકડો 47,476 પર પહોંચ્યો છે. જ્યારે 1061 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 34,004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં પ્રથમ વખત પ્રથમ વખત 1 હજારથી વધુ દર્દીઓ સાજા થયાં હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 19 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,127 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત છઠ્ઠા દિવસે નોંધાયા 900ને પાર કોરોનાના કેસ
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને 17 જુલાઇના રોજ 949 કેસ તો આજે 960 કેસ નોંધાતા ચિંતામાં ફરી વધારો થયો છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 268 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 203 અને સુરત જિલ્લામાં 65 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9409 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 337 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6417 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 252 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2740 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 199 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 182 અને અમદાવાદ જિલ્લામાં 17 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 24,163 4 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 169 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,857 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1543 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3763 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
18/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
199
સુરત
268
વડોદરા
78
ગાંધીનગર
28
ભાવનગર
36
બનાસકાંઠા
21
આણંદ
7
રાજકોટ
57
અરવલ્લી
4
મહેસાણા
24
પંચમહાલ
8
બોટાદ
7
મહીસાગર
7
ખેડા
15
પાટણ
15
જામનગર
10
ભરૂચ
13
સાબરકાંઠા
12
ગીર સોમનાથ
11
દાહોદ
10
છોટા ઉદેપુર
6
કચ્છ
10
નર્મદા
6
દેવભૂમિ દ્વારકા
0
વલસાડ
19
નવસારી
17
જૂનાગઢ
40
પોરબંદર
0
સુરેન્દ્રનગર
15
મોરબી
4
તાપી
2
ડાંગ
1
અમરેલી
10
અન્ય રાજ્ય
0
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)