ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા કરી હતી. તો રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો
સતત પાંચમાં દિવસે નોંધાયા 900થી વધુ કોરોનાના કેસ
અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો 46,516 પર પહોંચ્યો
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 949 કેસ નોંધાતા કુલ આંકડો 46,516 પર પહોંચ્યો છે. જ્યારે 770 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 32944 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 17 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2108 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. હાલ રાજ્યમાં 11464 એક્ટિવ કેસ છે. તો સુરતમાં કોરોનાનો આંકડો 10 હજારની નજીક પહોંચી ચૂક્યો છે.
સતત પાંચમાં દિવસે નોંધાયા 900ને પાર કોરોનાના કેસ
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો ગઇકાલ 16 જુલાઇ 919 કેસ અને આજે 949 કેસ નોંધાતા લોકોમાં ચિંતા વધી રહી છે.
હાલ શું છે સુરતમાં કોરોનાની સ્થિતિ?
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 234 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 177 અને સુરત જિલ્લામાં 57 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 9141 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 351 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6080 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 242 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2819 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 166 અને અમદાવાદ જિલ્લામાં 18 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,964 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 165 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,688 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1539 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3737 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા આજના કોરોના વાયરસના કેસની વિગત
17/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
184
સુરત
234
વડોદરા
77
ગાંધીનગર
32
ભાવનગર
44
બનાસકાંઠા
11
આણંદ
8
રાજકોટ
58
મહેસાણા
21
પંચમહાલ
10
બોટાદ
4
મહીસાગર
3
ખેડા
21
પાટણ
15
જામનગર
16
ભરૂચ
47
સાબરકાંઠા
12
ગીર સોમનાથ
13
દાહોદ
15
છોટા ઉદેપુર
1
કચ્છ
15
નર્મદા
1
દેવભૂમિ દ્વારકા
1
વલસાડ
17
નવસારી
30
જૂનાગઢ
33
સુરેન્દ્રનગર
13
મોરબી
5
તાપી
5
અમરેલી
3
સુરતમાં છેલ્લા 10 દિવસમાં 2683 કેસ, 48ના મોત
10 દિવસના આંકડા
નોંધાયેલા કેસ
સાજા થયા
મોત
2020-07-07
249
76
6
2020-07-08
273
181
5
2020-07-09
307
124
6
2020-07-10
269
118
4
2020-07-11
270
136
3
2020-07-12
251
138
5
2020-07-13
287
186
5
2020-07-14
291
247
5
2020-07-15
236
223
5
2020-07-16
265
191
5
2020-07-17
234
351
5
Grand Total
2683
1895
48
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)