17 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 518 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
518 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 255872 પર પહોંચ્યો
આજે 704 દર્દીઓ સાજા થયા અને 2 દર્દીઓના મોત
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 518 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 255872 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.79 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 94 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.
રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 704 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,45,107 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4365 એક્ટિવ કેસ છે. જેમાંથી 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 2 દર્દીના મોત
આજે કોવિડ-19થી 2 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4365 થઇ ગઇ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 94 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ, સુરત શહેરમાં 78, સુરત ગ્રામ્યમાં વધુ 08 કેસ, વડોદરા શહેરમાં 63, ગ્રામ્યમાં વધુ 26 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 57 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 19 કેસ, ભાવનગરમાં 11, ગાંધીનગરમાં વધુ 15 કેસ નોંધાયા, જામનગરમાં 17, જૂનાગઢમાં વધુ 14 કેસ નોંધાયા, મહેસાણામાં 14 કેસ, કચ્છમાં વધુ 16 કેસ નોંધાયા છે. જ્યારે ડાંગ, અરવલ્લી, વલસાડ અને મહીસાગરમાં એક પણ કેસ નથી નોંધાયો.