ભારતમાં કોરોના વાયરસના કેસ 49 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1364 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે, ખુશીના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના 1364 નવા કેસ
પ્રથમ વખત 85 હજારથી વધુ કરાયા ટેસ્ટ
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1364 નવા કેસ સાથે કુલ આંક 1,17,709 પર પહોંચ્યો છે. તો આજે 1,447 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 98,156 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 12 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 35,23,653 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16294 છે.
સુરતમાં 293 દર્દી સાજા થયા
રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 83.39% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,447 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 244, સુરતમાં 293 જામનગરમાં 123, વડોદરામાં 134 અને રાજકોટમાં 215 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે પોરબંદરમાં 3 કેસ
આજે મહાનગરો સુરતમાં 281, અમદાવાદમાં 165 કેસ, વડોદરામાં 122, રાજકોટમાં 143 કેસ બાદ જામનગરમાં 126 કેસ કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર જિલ્લામાં નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા