16 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 505 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોનાની પીક બાદ સૌપ્રથમ વખત 100થી ઓછા કેસ નોંધાયા છે.
24 કલાકમાં 505 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 255354 પર પહોંચ્યો
આજે 764 દર્દીઓ સાજા થયા અને 3 દર્દીઓના મોત થયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 505 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 255354 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.71 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં આજે 99 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.
રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 764 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,44,403 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 4363 એક્ટિવ કેસ છે. જેમાંથી 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં કોરોના વોરિયર્સને અપાઇ વેક્સિન
છેલ્લા એક વર્ષથી માનવ જાતિ માટે વિનાશ બનેલા કોરોનાનો ખાત્મો કરવા ભારતીય વૈજ્ઞાનિકોએ આખરે રસી બનાવી લીધી છે. જેનું નામ કોવિશિલ્ડ અને કોવેક્સિન છે. ત્યારે આજથી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ વેક્સિન અપાઇ છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4363 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 1 અને રાજકોટ 2 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાના હાહાકાર બાદ પ્રથમ વખત 100થી ઓછા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 99-ગ્રામ્યમાં 3 કેસ, સુરત શહેરમાં 80-ગ્રામ્યમાં 16 કેસ, વડોદરા શહેરમાં 63 ગ્રામ્યમાં 25 કેસ, રાજકોટ શહેરમાં 58-ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા છે. તો બોટાદ, નવસારી અને તાપીમાં એકપણ નવો કેસ નહીં.