ભારતમાં કોરોના વાયરસના કેસ 49 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1349 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે, ખુશીના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1349 નવા કોરોનાના કેસ
કુલ મૃત્યુઆંક 3247 પર પહોંચ્યો
રાજકોટમાં 249 દર્દીઓ થયાં સાજા
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1349 નવા કેસ સાથે કુલ આંક 1,16,345 પર પહોંચ્યો છે. તો આજે 1,444 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 96,709 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 17 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3247 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 78,128 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34,38,500 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16389 છે.
સુરતમાં 266 દર્દી સાજા થયા
રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 83.12% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,444 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 215, સુરતમાં 266 જામનગરમાં 125, વડોદરામાં 102 અને રાજકોટમાં 249 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે અરવલ્લીમાં 1 કેસ જ્યારે ડાંગમાં 2 કેસ
આજે મહાનગરો સુરતમાં 277, અમદાવાદમાં 172 કેસ, વડોદરામાં 129, રાજકોટમાં 141 કેસ બાદ જામનગરમાં 123 કેસ કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ અરવલ્લીમાં 1 કેસ અને ડાંગમાં 2 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા