ભારતમાં કોરોના વાયરસના કેસ 73 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 11 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,185 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 14,804 એક્ટિવ કેસ છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કોરોનાના દર્દીઓના મોત થયા છે. મહત્વનું છે કે, અનલૉક-5ની ગાઇડલાઇન અનુસાર આજથી(15 ઓક્ટોબર) સિનેમા ઘરો ખોલવામાં આવ્યા છે.
24 કલાકમાં 1,185 નવા કેસ નોંધાયા
કુલ આંકડો 1,56,283 પર પહોંચ્યો
આજે 1329 દર્દીઓ સાજા થયા અને 11 દર્દીઓના મોત થયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51,215 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1185 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,56,283 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ વધીને 88.22 ટકા થયો છે.
આજે 1329 દર્દીઓ થયાં સાજા
આજે 1329 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,37,870 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,609 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 14,804 છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 52,16,885 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ 7 જિલ્લામાં કુલ 11 દર્દીઓના મોત
આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 4, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહીસાગરમાં 1, પાટણ 1, વડોદરામાં 1 અને તાપીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
આ 5 મહાનગરોમાં ચિંતાજનક કેસ
રાજ્યમાં સૌથી વધુ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં આજે સુરતમાં 249, અમદાવાદમાં 186, રાજકોટમાં 109, વડોદરામાં 117 અને જામનગરમાં 85 કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત