15 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 535 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે. એક તરફ કેસમાં ઘટાડો થતા લોકોમાં રાહત છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હજુ પણ 31 જાન્યુઆરી સુધી મહાનગરોમાં નાઇટ કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે.
24 કલાકમાં 535 નવા કોરોનાના કેસ નોંધાયા
કુલ આંકડો 254849 પર પહોંચ્યો
આજે 738 દર્દીઓ સાજા થયા અને 3 દર્દીઓના મોત થયા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 535 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 254849 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.60 ટકા થયો છે.
રાજ્યમાં 7 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 738 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,43,639 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 6850 એક્ટિવ કેસ છે. જેમાંથી 55 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં 90 ટકા બેડ ખાલી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવી રહેલ અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યમાં 55000 જેટલા બેડ પૈકીના 90 ટકા બેડ ખાલી છે. આ વાત દર્શાવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4360 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 1, રાજકોટ 1 અને સુરતમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ગ્રામ્યના મળીને કુલ 51 કેસ થાય
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 104-ગ્રામ્યમાં 5 કેસ, સુરત શહેરમાં 81-ગ્રામ્યમાં 13 કેસ, વડોદરા શહેરમાં 76 ગ્રામ્યમાં 25 કેસ, રાજકોટ શહેરમાં 70-ગ્રામ્યમાં 8 કેસ નોંધાયા છે. તો ડાંગ, મહીસગાર, તાપી અને છોટા ઉદેપુરમાં એકપણ નવો કેસ નહીં. તો 535 નવા દર્દીઃ આ ચાર જિલ્લામાં એકપણ નવો કેસ નહીં, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ગ્રામ્યના મળીને કુલ 51 કેસ થાય છે. અમદાવાદ ગ્રામ્યમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 8, વડોદરા ગ્રામ્યમાં 25 અને સુરત ગ્રામ્યમાં 13 કેસ નોંધાયા છે.