ભારતમાં કોરોના વાયરસના કેસ 48 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1334 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે મહાનગરો બાદ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1334 નવા કેસ
રાજ્યમાં આજે 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા
ડાંગ જિલ્લામાં માત્ર એક જ કેસ
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1334 નવા કેસ સાથે કુલ આંક 1,14,996 પર પહોંચ્યો છે. તો આજે 1,255 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 95,265 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 17 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3230 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 33,60,318 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16501 છે.
સુરતમાં 261 દર્દી સાજા થયા
રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.84% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,255 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 175, સુરતમાં 261 જામનગરમાં 129, વડોદરામાં 106 અને રાજકોટમાં 78 દર્દીઓ સ્વસ્થ થયા છે.
આજે વલસાડમાં 2 કેસ જ્યારે ડાંગમાં એક કેસ
આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 131, રાજકોટમાં 154 કેસ બાદ જામનગરમાં 120 કેસ કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ વલસાડમાં 2 કેસ અને ડાંગમાં એક કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા