રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. ત્યારે જાણો 12 ફેબ્રુઆરી 2021ના રોજ ગુજરાતમાં 279 નવા કેસ નોંધાયા છે.
24 કલાકમાં 279 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર 97.67 ટકા
રાજ્યમાં હવે માત્ર 1763 એક્ટિવ કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન 281 દર્દીઓ સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,58,834 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 1763 એક્ટિવ કેસ છે. જેમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાથી સાજા થવાનો દર 97.67 ટકા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.67 ટકા થયો છે. આજે ગુજરાતમાં 24 કલાક દરમિયાન એકપણ વ્યક્તિનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4400 છે. અમદાવાદ શહેરમાં આજે 60 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે.
7 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
ગત 24 કલાકમાં 17,008 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 7,84,619 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 60 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 0 કેસ, સુરત શહેરમાં 49, સુરત ગ્રામ્યમાં વધુ 4 કેસ, વડોદરા શહેરમાં 45, ગ્રામ્યમાં વધુ 11 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 31 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 7 કેસ નોંધાયા છે.