ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 879 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,906 પર પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં સતત ચોથા દિવસે 800થી વધુ કેસ
અમદાવાદ બાદ સુરતની સ્થિતિ ગંભીર
અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 23,095 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 513 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2047 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત ચોથા દિવસે 800ને પાર નવા કેસ
મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, 9 જુલાઇના રોજ પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા તો ગઇકાલે શુક્રવારે એટલે કે 10 તારીખે 875 કેસ તો 12 તારીખે 872 કેસ અને આજે સતત ચોથા દિવસે 879 કેસ નોંધાયા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 251 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 205 અને સુરત જિલ્લામાં 46 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,828 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 138 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 4,843 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 215 દર્દીના મૃત્યુ થયા છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 172 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 20 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,095 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 133 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,818 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1521 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3756 એક્ટિવ કેસ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત
12/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
172
સુરત
251
વડોદરા
75
ગાંધીનગર
29
ભાવનગર
46
બનાસકાંઠા
13
આણંદ
11
રાજકોટ
46
અરવલ્લી
2
મહેસાણા
23
પંચમહાલ
10
બોટાદ
5
મહીસાગર
1
ખેડા
16
પાટણ
4
જામનગર
6
ભરૂચ
14
સાબરકાંઠા
3
ગીર સોમનાથ
6
દાહોદ
9
છોટા ઉદેપુર
3
કચ્છ
7
નર્મદા
0
દેવભૂમિ દ્વારકા
0
વલસાડ
16
નવસારી
11
જૂનાગઢ
42
પોરબંદર
0
સુરેન્દ્રનગર
21
મોરબી
19
તાપી
2
ડાંગ
0
અમરેલી
16
અન્ય રાજ્ય
0
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)