ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 872 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,027 પર પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2034 પર પહોંચ્યો છે.
સુરતમાં કોરોના બન્યો બેફામ
દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યા છે કેસ
સતત ત્રીજા દિવસે કોરોનાના 800થી વધુ કેસ
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 502 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,685 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 10 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2034 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત ત્રીજા દિવસે 800ને પાર નવા કેસ
મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, 9 જુલાઇના રોજ પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા તો ગઇકાલે શુક્રવારે એટલે કે 10 તારીખે 875 કેસ અને આજે સતત ત્રીજા દિવસે 872 કેસ નોંધાયા છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 270 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 180 અને સુરત જિલ્લામાં 90 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 7,577 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 136 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 4,705 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 212 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે 2624 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 178 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 166 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,923પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 126 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,685 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1517 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3721 એક્ટિવ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી ડાયમંડ નગરી સુરતની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછોળો નોંધાઇ રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ
3721 છે તો સુરતમાં
2621 છે. તો સમગ્ર રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઇ પહોંચી છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત
11/07/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
178
સુરત
270
વડોદરા
72
ગાંધીનગર
28
ભાવનગર
49
બનાસકાંઠા
12
આણંદ
8
રાજકોટ
41
અરવલ્લી
4
મહેસાણા
19
પંચમહાલ
5
બોટાદ
2
મહીસાગર
6
ખેડા
20
પાટણ
5
જામનગર
11
ભરૂચ
23
સાબરકાંઠા
9
ગીર સોમનાથ
8
દાહોદ
3
છોટા ઉદેપુર
1
કચ્છ
10
નર્મદા
7
દેવભૂમિ દ્વારકા
1
વલસાડ
17
નવસારી
17
જૂનાગઢ
24
પોરબંદર
1
સુરેન્દ્રનગર
10
મોરબી
7
તાપી
0
ડાંગ
0
અમરેલી
4
અન્ય રાજ્ય
0
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)