11 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 615 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
આજે 615 નવા કેસ સાથે 746 દર્દી સાજા થયાં
મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા
રાજ્યમાં હવે માત્ર 7635 એક્ટિવ કેસ
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 615 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 252,559 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.23 ટકા થયો છે.
રાજ્યમાં 8 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 746 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,40,517 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 7635 એક્ટિવ કેસ છે. જેમાંથી 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં 90 ટકા પથારી ખાલી
રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે કરવામાં આવી રહેલ અથાગ પ્રયાસના ભાગરૂપે રાજ્યમાં 55000 પથારીઓ પૈકીની 90 ટકા પથારીઓ ખાલી છે.આ વાત દર્શાવે છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 5 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4347 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને સુરત 1 એમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 126-ગ્રામ્યમાં 2 કેસ, સુરત શહેરમાં 102-ગ્રામ્યમાં 27 કેસ, વડોદરા શહેરમાં 93 ગ્રામ્યમાં 26 કેસ, રાજકોટ શહેરમાં 47-ગ્રામ્યમાં 13 કેસ, નોંધાયા છે.