ભારતમાં કોરોનાના કેસ 22 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતના પણ કેટલાક શહેરોમાં કોરોનાએ ચિંતા વધારી છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1118 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 73,223 પર પહોંચ્યો હતો.
રાજ્યમાં 24 કલાકમાં 1118 કેસ
અત્યાર સુધીમાં 56,499 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
જામનગરમાં સૌથી વધી દર્દીઓ થયાં સાજા
ઉલ્લેખનીય છે કે, આજે 1,140 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 56,499 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 77 ટકાથી વધુ થયો છે.આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ, મહિસાગર, જામનગર, દાહોદ, અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ સાજા થયા છે.
જામનગરમાં સૌથી વધી દર્દીઓ થયાં સાજા
રાજ્યમાં આજે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં 1,118 કેસ નોંધાયા છે જેની સામે 1,140 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરતમાં 183, અમદાવાદમાં 204 અને જામનગરમાં 294, સૌથી વધુ દર્દીઓ સાજા થયા છે. આપને જણાવી દઇએ કે, પ્રથમ વખત જામનગરમાં રાજ્યના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં હશે.
કોરોનાથી કેટલા દર્દીના મોત ?
રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2,697 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મહત્વનું છે કે, ભારતમાં કોરોના વાયરસના કેસ 22 લાખને પાર થઇ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 44 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત