ભારતમાં કોરોના વાયરસના કેસ 44 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1332 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં 1332 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કુલ આંકડો 109627 પર પહોંચ્યો
રાજ્યમાં રિકવરી રેટ વધીને 82.31% થયો
ગુજરાત સરકારના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1332 નવા કેસ સાથે કુલ આંક 1,09,627 પર પહોંચ્યો છે. તો આજે 1415 દર્દીઓ સાજા થયા છે. જેને લઇને કુલ 90230 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.31% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3167 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 72151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કુલ 16230 કોરોના એક્ટિવ કેસ છે. જ્યારે 91 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 167 કેસ, વડોદરામાં 124, રાજકોટમાં 150 કેસ બાદ સૌથી વધુ 105 કેસ જામનગરમાં નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ વલસાડમાં 2, અરવલ્લીમાં 3, દ્વારકામાં 5 અને આણંદ-તાપીમાં 7-7 નોંધાયા છે. મહાનગરો બાદ જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા વધી છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.