આજથી કોરોનાની રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 427 કેસ નોંધાયા છે.
કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ
24 કલાકમાં કોરોનાના નવા 427 કેસ
અત્યાર સુધીમાં 4410 લોકોના સારવાર દરમિયાન મોત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 360 દર્દીઓ સાજા થયાં. કોરોનાને કારણે ગત 24 કલાકમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 35 લોકો વેન્ટિલેટર પર છે.
અત્યાર સુધીમાં 4410 લોકોના સારવાર દરમિયાન મોત
અત્યાર સુધીમાં 2,63,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને રાજ્યમાં 4410 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને રાજ્યમાં હવે 2429 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને વધીને 97.47 ટકા થયો.
અમદાવાદના આંકડા ચિંતાજનક
કોરોનાની શરૂઆતથી જ અમદાવાદમાં કેસ સૌથી વધુ નોંધાયા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી મનપાની ચૂંટણી બાદ પણ કોરોનાના કેસમાં જોવા મળી રહેલો વધારો ખરેખર ચિંતાજનક છે.
કુલ 8,83,601 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 8,83,601 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો અત્યાર સુધીમાં 1,89,624 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
મહાનગરોમાં ફરીવાર ચિંતા વધી
24 કલાકમાં અમદાવાદમાં શહેરમાં કોરોનાના 96 તથા ગ્રામ્યમાં 3, સુરત શહેરમાં 61 તથા ગ્રામ્યમાં 3, વડોદરા શહેરમાં 73 તથા ગ્રામ્યમાં 11, રાજકોટમાં 44 તથા ગ્રામ્યમાં 06 નવા કેસ નોંધાયા છે.
મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતા જ શહેરોમાં કોરોનાના કેસ વધ્યા
ગુજરાતમાં 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગરની 21 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પહેલા જ કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો હતો. જોકે નેતાઓની સભામાં અને પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો, ભીડ ભેગી કરી અને હવે શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કોરોનાની નવી પેટર્નને લઈ ડૉ.વસંત પટેલે વ્યક્ત કરી ચિંતા
ડૉ.વસંત પટેલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કેસ વધી શકે છે. આફ્રિકા-બ્રાઝિલનો નવો સ્ટ્રેન ખતરનાક છે. ચૂંટણીના પર્વ દરમિયાન લોકોને ડૉ.વસંતે અપીલ કરી છે. ચૂંટણીમાં કાર્યકર્તાઓએ નિયમોનો ભંગ કરતા દેખાયા છે. લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તેવી અપીલ કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી વેક્સિન
કોરોનાના રસીકરણના બીજા ચરણની આજથી શરુઆત થઈ ગઈ છે. આની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. પીએમ મોદી સવારમાં નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. આની સાથે પીએમ મોદીએ લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ કરી હતી.