રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 1 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થયો ઘટાડો
24 કલાકમાં 298 નવા કેસ સાથે 406 દર્દી થયાં સાજા
કોરોનાથી સાજા થવાનો દર 97.05 ટકા
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 298 નવા કેસ સામે આવ્યા છે. આજે 406 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓ સાજા થયાં છે. રાજ્યમાં તો હાલ 3341 એક્ટિવ કેસ છે. જેમાંથી 303 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
કોરોનાથી સાજા થવાનો દર 97.05 ટકા
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.05 ટકા થયો છે. આજે ખેડા જિલ્લામાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 4388 છે. અમદાવાદ શહેરમાં આજે 64 કેસ નોંધાયા છે. તો મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુને લઇને કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. જો કે, એક બાબત ચોંકાવનારી છે કે, ગત 24 કલાક દરમિયાન વડોદરા જિલ્લામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
3 લાખથી વધુ લોકોને અપાઇ ચૂકી છે રસી
ગત 24 કલાકમાં 34,440 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 3,51,904 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
રાજ્યમાં જાણો કેટલા કેસ નોંધાયા?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 63 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, સુરત શહેરમાં 35, સુરત ગ્રામ્યમાં વધુ 7 કેસ, વડોદરા શહેરમાં 65, ગ્રામ્યમાં વધુ 12 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 32 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 09 કેસ, અમરેલીમાં 3 કેસ નોંધાયા છે. તો ભાવનગર, નવસારી, મહેસાણા, સુરેન્દ્રનગરમાં ગત 24 કલાકમાં એકપણ કેસ નથી નોંધાયું.