અમદાવાદમાં કોરોનાની સાથે ચિકનગુનિયાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોના બાદ પોલીસ વિભાગમાં ચિકનગુનિયાનું સંક્રમણ વધી રહ્યું છે. જજીસ બંગલા ચોકીના PSI સહિત 10ને ચિકનગુનિયા થયો છે.
ચિકનગુનિયાના કેસમાં વધારો
પોલીસ વિભાગમાં ચિકનગુનિયાનું સંક્રમણ
PSI સહિત 10ને ચિકનગુનિયા
ઉલ્લેખનીય છે કે, PSI અલ્પાબેન ખત્રી, PSI એચ.ડી.મકવાણાને ચિકનગુનિયા થયો છે. મહિલા સહિત 2 PSI, 8 પોલીસકર્મીને ચિકનગુનિયા થયો છે. જ્યારે અમદાવાદના 2200 પોલીસકર્મી-અધિકારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ગઇકાલે રાજ્યમાં 1365 નોંધાયા કેસ
રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1365 નવા કેસ સાથે કુલ આંક 1,12,336 પર પહોંચ્યો છે. તો આજે 1,335 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 92,805 દર્દીઓ સાજા થયા છે. રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.61% પર પહોંચ્યો છે. આજે સંક્રમણથી 15 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3198 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 74,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 32,19,983 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16333 છે.
મહાનગરો બાદ આ 2 જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 123, રાજકોટમાં 146 કેસ બાદ જામનગરમાં 125 કેસ અને મહેસાણમાં 50 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ અરવલ્લીમાં 2 કેસ, છોટા ઉદેપુરમાં 4 કેસ નોંધાયા છે. મહાનગરો બાદ જામનગર અને મહેસાણામાં કોરોનાનું સંક્રમણ વધતા ચિંતા વધી છે.
મહાનગરોમાં વધી ચિંતા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1365 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને મહેસાણામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.