કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. આ સાથે જ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસે મચાવ્યો હાહાકાર
અમદાવાદમાં નવા 291 કેસ સાથે રાજ્યમાં કુલ 492 નવા કેસ
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 492 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 18,609 થઇ છે. આ સાથે જ કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 68.09 ટકા થયો છે.
અમદાવાદમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 81 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 455 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 12,667 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
04/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
291
સુરત
81
વડોદરા
39
ગાંધીનગર
21
મહેસાણા
9
અન્ય રાજ્ય
8
બનાસકાંઠા
6
આણંદ
4
અરવલ્લી
4
ખેડા
4
સાબરકાંઠા
4
દાહોદ
4
નર્મદા
4
પંચમહાલ
3
ભાવનગર
2
રાજકોટ
2
બોટાદ
1
જામનગર
1
ભરૂચ
1
કચ્છ
1
દેવભૂમિ દ્વારકા
1
સુરેન્દ્રનગર
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1155 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 4711 લોકો સ્ટેબલ છે.