ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
ગુજરાતમાં કોરોના બન્યો બેકાબૂ
આજે સૌથી વધુ 608 લોકો થયાં સાજા
અમદાવાદમાં નવા 253 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 372 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 15,944 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 253 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 253 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 8,609 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
અમદાવાદ
253
સુરત
45
વડોદરા
34
ગાંધીનગર
8
મહેસાણા
7
છોટા ઉદેપુર
7
કચ્છ
4
નવસારી
2
બનાસકાંઠા
1
રાજકોટ
1
અરવલ્લી
1
પંચમહાલ
1
મહીસાગર
1
ખેડા
1
ભરૂચ
1
સાબરકાંઠા
1
વલસાડ
1
જૂનાગઢ
1
સુરેન્દ્રનગર
1
અન્ય રાજ્ય
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 20 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 980 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે તો 6287 લોકો સ્ટેબલ છે.