સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. તો બીજી તરફ હવે સુરતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી.
ગુજરાતમાં 24 કલાકમાં 626 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 32023 પર પહોંચ્યો
19 દર્દીના મોત, 440 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
ગુજરાતમાં સતત ત્રીજી વખત 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 626 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 32023 પર પહોંચ્યો છે. જોકે હાલ રાજ્યમાં 6947 એક્ટિવ કેસ છે. તો આજે 440 દર્દીઓ સાજા થયા છે જેને લઇને અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો આજે 19 દર્દીઓના મોત થયા છે, જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1828 પર પહોંચ્યો છે.
કોરોનાએ અમદાવાદની જેમ હવે સુરતને પણ બાનમાં લીધું
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 206 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 185 અને સુરત જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 4630 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 87 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 3143 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે સુરતનો કોરોનાથી મૃત્યુઆંક 154 પર પહોંચ્યો છે. હાલ સુરતમાં 1333 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 236 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 222 અને અમદાવાદ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 20716 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 171 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 15829 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 9 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1432 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3455 એક્ટિવ કેસ છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
29/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
236
સુરત
206
વડોદરા
50
પાટણ
20
રાજકોટ
13
આણંદ
11
મહેસાણા
10
અમરેલી
10
સુરેન્દ્રનગર
9
ભરૂચ
8
અન્ય રાજ્ય
8
ખેડા
7
અરવલ્લી
6
જામનગર
6
ભાવનગર
5
પંચમહાલ
3
ગીર સોમનાથ
3
જૂનાગઢ
3
ગાંધીનગર
2
કચ્છ
2
દેવભૂમિ દ્વારકા
2
નવસારી
2
બનાસકાંઠા
1
બોટાદ
1
સાબરકાંઠા
1
વલસાડ
1
રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ અને કોરોનાની અન્ય વિગત
જિલ્લા
કુલ
સાજા થયા
મૃત્યુ
એક્ટિવ કેસ
અમદાવાદ
20716
15829
1432
3455
સુરત
4630
3143
154
1333
વડોદરા
2215
1516
47
652
ગાંધીનગર
638
454
29
155
ભાવનગર
253
150
13
90
બનાસકાંઠા
177
154
10
13
આણંદ
208
178
13
17
રાજકોટ
263
122
7
134
અરવલ્લી
202
162
18
22
મહેસાણા
269
140
11
118
પંચમહાલ
173
133
15
25
બોટાદ
86
65
3
18
મહીસાગર
135
113
2
20
ખેડા
152
109
6
37
પાટણ
194
112
15
67
જામનગર
198
94
4
100
ભરૂચ
220
104
9
107
સાબરકાંઠા
170
115
8
47
ગીર સોમનાથ
73
47
1
25
દાહોદ
59
43
0
16
છોટા ઉદેપુર
55
36
2
17
કચ્છ
153
93
5
55
નર્મદા
89
37
0
52
દેવભૂમિ દ્વારકા
22
15
1
6
વલસાડ
130
54
3
73
નવસારી
95
42
1
52
જૂનાગઢ
93
49
2
42
પોરબંદર
16
10
2
4
સુરેન્દ્રનગર
138
70
7
61
મોરબી
20
9
1
10
તાપી
8
6
0
2
ડાંગ
4
4
0
0
અમરેલી
82
32
6
44
અન્ય રાજ્ય
87
8
1
78
TOTAL
32023
23248
1828
6947
માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ 5 લાખ 50 હજારને પાર
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાડા પાંચ લાખને પાર કરી ગઇ છે. ત્રણ દિવસ પહેલા આંકડો 5 લાખ પર પહોંચ્યો હતો. દેશમાં પહેલા 50 હજાર દર્દી નોંધાવામાં 97 દિવસનો સમય લાગ્યો હતો. હવે દર ત્રણ દિવસમાં આટલી સંખ્યાની વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લા 12 દિવસમાં 2 લાખ કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં કેસની સંખ્યામાં વધારો થવાનું નક્કી છે. આ ગતિએ કેસની સંખ્યા વધશે તો જુલાઇના અંત સુધીમાં સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર કરી શકે છે. મધ્યપ્રદેશ હવે સૌથી વધુ સંક્રમિત 10 રાજ્યોમાંથી બહાર થયું છે. અહીંયા અત્યાર સુધી સંક્રમણના 13,186 કેસ આવ્યા હતા. જેમાંથી 10,084 દર્દી સાજા થયા છે, એટલે કે રિકવરી રેટ 76% થઈ ગયો છે. દસમા નંબરે કર્ણાટક છે. જો કે, હાલ બન્નેના આંકડામાં વધારે ફરક નથી. કર્ણાટકમાં અત્યાર સુધી 13190 કેસ આવ્યા છે. મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને અહીં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે PPE કીટની પૂરતી નિકાસને મંજૂરી આપી દીધી છે. ઘરેલુ બજારમાં આ હવે ઉપલ્બ્ધ છે. જેને જોતા સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે નોટીફિકેશન જાહેર કરીને કહ્યું કે, દર મહિને 50 લાખ PPE કીટની નિકાસ કરી શકાય છે.