કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
રાજ્યમાં કોરોના વાયરસના નવા 415 નવા કેસ
એક જ દિવસમાં કોરોનાના નવા 1114 દર્દી થયાં સાજા
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 415 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 17,632 થઇ છે.
અમદાવાદમાં કોરોનાના નવા 279 કેસ નોંધાયા
અમદાવાદમાં સૌથી વધુ 279 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 58 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 1114 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. તો આજના દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ દર્દીઓ સાજા થયાં છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 11,894 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
02/06/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
279
સુરત
58
વડોદરા
32
ગાંધીનગર
15
મહેસાણા
5
ભાવનગર
4
ભરૂચ
4
દાહોદ
4
ખેડા
3
પંચમહાલ
2
કચ્છ
2
સુરેન્દ્રનગર
2
બનાસકાંઠા
1
પાટણ
1
નર્મદા
1
વલસાડ
1
નવસારી
1
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1092 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 62 લોકો વેન્ટિલેટર પર છે તો 4584 લોકો સ્ટેબલ છે.